Friday, June 26, 2015

માલેગાંવ કેસમાં NIAએ સરકારી વકીલ રોહિણી પરના દબાણનો આરોપ નકાર્યો

માલેગાંવ કેસમાં NIAએ સરકારી વકીલ રોહિણી પરના દબાણનો આરોપ નકાર્યો
મુંબઈ- માલેગાંવમાં વર્ષ 2008માં બોમ્બ વિસ્ફોટના મુદ્દે વિશષ પબ્લિક પ્રોસિક્યુટર રોહિણીએ એક નવો વિવાદ ઊભો કર્યો છે. રોહિણીએ આરોપ લગાવતાં જણાવ્યું કે ગયા વર્ષે મે મહિનામાં નરેન્દ્ર મોદી સરકારે સત્તામાં આવ્યા બાદ રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA)ને આ કેસમાં નરમાશ દાખવવા કહ્યું હતું, જેના પરિણામે રોહિણી પર નરમ વલણ દાખવવાનું દબાણ વધ્યું હતું. જો કે, એજન્સીએ આ આરોપને ખોટો કહી નકાર્યો હતો. આ મુદ્દે કેટલાક હિંદુ કટ્ટરપંથી આરોપી પુરવાર થયા છે. રોહિણીએ કહ્યું કે એનઆઈએના એક અધિકારીએ જાતે એમની મુલાકાત લઈને આ વાત કરી હતી.

No comments: